છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના પીપલાજ ગામમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા ગ્રામજનોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. રોડ નહીં તો વોટ નહીં પાણી નહી તો વોટ નહિ જેવા સુત્રોચાર કર્યા હતાં.
ગામમાં તમામ પક્ષના રાજકીય નેતાઓ અને ચૂંટણી અધિકારીને પ્રવેશવા ન દેવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. નસવાડી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.