ઇજીપ્તના ઉત્તરી સિનાઇ વિસ્તારમાં એક આતંકવાદી હુમલો થયો છે. શુક્રવારે જુમ્માની નમાજ દરમિયાન એક મસ્જીદમાં ભીષણ હુમલો કરવામાં આવ્યો. હુમલામાં 235 લોકોના મોત થયા હોવાની આશંકા છે અને ઘાયલોની સંખ્યા 125 હોવાની સંભાવના છે.
મૃત્યુઆંક વધે તેવી શ~યતાઓ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડવા માટે 50થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોચી ગઇ છે. આતંકી હુમલા બાદ સરકારે ત્રણ દિવસ રાષ્ટ્રીય શોકનું એલાન કર્યું છે.
અલઆરિશ શહેરની અલ રૌદા મસ્જીદ પાસે આ બોંબ રાખવામાં આવ્યો હતો. જે નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. સાથે જ ચાર વાહનો પર સવાર થયેલા બંદૂકધારીઓએ ઘટનાસ્થળેથી ભાગી રહેલા લોકો પર ફાયરિંગ પણ કરી હતી. કોઇ સંગઠને હાલ આ હુમલાની જવાબદારી નથી લીધી. પીએમ મોદીએ મસ્જીદમાં થયેલા આતંકી હુમલા પર દુખ વ્ય~ત કર્યું છે.