વેદમાતા તરીકે માતા ગાયત્રીનું સ્મરણ કરવામાં આવે છે. ગાયત્રી મન્ત્રનો સતત જાપ કરવાથી કેટલાય પ્રકારના પાપો દૂર થાય થાય. અચાનક કોઈ આફત આવી પડે ત્યારે માં ગાયત્રીના મઁત્રનો પાઠ કરવાથી આવી પહેલી આફત દૂર થાય છે અને અટકી પડેલા કામને ગતિ પ્રાપ્ત થાય છે. આમ ગાયત્રીમંત્રનો જાપ કરનાર ભયરહિત રહે છે તેવી વાત આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ આલેખાઈ છે. આ મંત્રમા અદભુત તાકાત રહેલી છે જે માનવીને દરેક પ્રકારના અનિષ્ઠથી બચાવે છે.
અક્ષર ચોવીસ પરમ પુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા આ વાક્યમા વેદ ધારણકરનારી જગતજનનની માં ગાયત્રીના સિધ્ધમંત્રનો મહિમા આલેખાયો છે. આ મંત્રમા ખાસ દૈવિય શક્તિ રહેલી છે જે માનવીના જીવનને અધોગતિથી બચાવે છે. ગાયત્રી મંત્રનો સતત જાપ કરવાથી ભૌતિકસુખ પણ પ્રાપ્ત થાય છે.
ગાયત્રી મંત્રનો અર્થ થાય છે કેતે પ્રાણસ્વરૂપદુ:ખનાશકસુખ સ્વરૂપશ્રેષ્ઠતેજસ્વીપાપનાશકદેવ સ્વરૂપ પરમાત્માને આપણે અંતરાત્મામાં ધારણ કરીએ તે ઈશ્વર આપણી બુદ્ધિને સાચો માર્ગ દેખાડે.
ગાયત્રીમંત્ર કરવાના ફાયદા-
બ્રર્હ્મિષ ઋષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલ ગાયત્રીમંત્રનો ઉલ્લેખ યજુર્વેદના છત્રીસમાં અધ્યાયમાં જોવા મળે છે.
ગાયત્રીમંત્રને સાધના માટેનો સર્વશ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે.
આ ૨૪ અક્ષરના મહામંત્રમાં દિવ્ય શક્તિ છુપાયેલી છે જે માનવી દરેક પ્રકારના કષ્ટો દુર કરે છે.
વૈદિકમંત્રોની અંદર એ સર્વોત્તમ ગણાય છે.
જે વ્યક્તિ ગાયત્રી મંત્રનો રોજ જાપ કરે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે અને પરમાત્માની શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે.
ગાયત્રી મંત્રનો સતત જાપ કરવાથી આધ્યાત્મિકસુખ સાથે ભૌતિકસુખ પણ પ્રાપ્ત થાય છે.