અમદાવાદઃ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલીઓને શાળાબંધના એલાનમાં નહીં જોડાવા અપીલ કરી છે. રાજપથ કલબના પંડિત દિનદયાળ હોલમાં ફી અધિનિયમનો ઐતિહાસિક કાયદો લાવવા બદલ અમદાવાદ શિક્ષણ સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે વાલીઓને વિનંતી કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર વાલીઓના હિતમાં છેક સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા તૈયાર છે. સરકાર વાલીઓની પડખે ઉભી છે માટે વાલીઓએ શાળાબંધ જેવા ઉગ્ર કાર્યક્રમોમાં જોડાઈને બાળકોનું શિક્ષણ બગાડવું જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે રાજ્ય વાલી મંડળ દ્વારા 12 જાન્યુઆરીના રોજ શાળાબંધનું એલાન આપવામાં આવ્યું છે. જો કે આ અગાઉ પણ કેટલીક શાળાઓના વાલીઓએ શાળાબંધને સમર્થન નહીં આપવાની જાહેરાત કરી હતી.