ગીરના તલાળામાં આંદોલન ભભૂકી રહ્યું છે. ઈકોPaનના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી રહ્યાં છે. તલાળામાં છેલ્લા એકતાલિસ દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે પરંતુ સરકારને તેની નોંધ લેવાનો પણ સમય નથી. રાજનેતાઓની જે જમીન જંગલની આસપાસ હતી તે વિસ્તારને ઈકોPaનમાંથી હટાવી લેવાયાનો પણ સ્થાનિકોનો આરોપ છે.
ઈકોઝોન શું છે અને ગીરમાં આ મામલે કેમ આંદોલનની ગર્જના થઈ રહી છે તે પણ સમજી લઈએ. ઈકોઝોનમાં આવતા વિસ્તારમાં ખેડુતો અઢી ફુટથી ઉંચો થાય તેવો પાક ન વાવી શકે. જંગલ બચાવવા સરકારે આ પ્રકારના નિયમો લાદ્યા છે. ખેડુતો ખેતરની બાજુમાં કોઈ ઝાડ પણ ન કાપી શકે. પાકને બચાવવા માટે ખેડુતો ઉંચી વાડ પણ ન બાંધી શકે તેવા નિયમ છે. હાલ આ તમામ મુદ્દાઓને લઈને તલાળામાં મોટું આંદોલન ચાલી રહ્યું છે.
ગુજરાતના 5 તાલુકાના લોકોએ ઈકોઝોન સામે બાંયો ચઢાવી છે. તાલાળા મેંદરડા ગીર-ગઢડા માળીયા અને વિસાવદરના લોકો સરકારના આ નિયમોનો હાલ વિરોધ કરી રહ્યા છે. આ પાંચ તાલુકાના 125 ગામડાઓને ઈકોઝોનની અસર થઈ રહી છે.
સ્થાનિકોનો આરોપ છે કે રાજનેતાઓની માલિકીની જમીનની આસપાસ સરકારે ઈકોઝોન હટાવી લીધો છે જ્યારે ગરીબ ખેડુતોને સરકાર ડરાવી રહી છે. પહેલી મે ના રોજ શરૂ થયેલા આંદોલનને 41 દિવસ થઈ ગયા છે. છેલ્લા 5 દિવસથી તો આમરણાંત ઉપવાસની પણ શરૂઆત થઈ છે. ઉપવાસમાં 25 મહિલાઓ અને 10 પુરુષો જોડાયા છે. આમ સ્થાનિકોની ઈકોઝોન હટાવવાની માગ ઉગ્ર બનતી જાય છે.