નવી દિલ્હીઃ ઘણા સમય બાદ ગુજરાતમાં ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને ટક્કર આપી હતી. પરંતુ આખરે ભાજપે પોતાને કેસરિયો યથાવત્ રાખ્યો હતો. ત્યારે ત્રણ રાજ્યોમાં ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે. પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મેઘાલય ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરીમાં થશે. ચૂંટણી તારીખનું એલાન થતાં પહેલા જ ત્રણ રાજ્યોમાં તોડવા-જોડવાની રાજનીતિને લઇ સામાન્ય જનતાને આકર્ષવાના પ્રયત્નો શરૂ છે. તેમ આ ત્રણ રાજ્યોમાં બે તબક્કામાં ચૂંટણી થશે જેમાં 18 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ વોટીંગ થવાનું છે. 3 માર્ચે આ ત્રણ રાજ્યોના પરિણામ આવશે.
ભાજપ પોતાના 18 રાજ્યોના આંકડાને સતત આગળ વધારવા મથી રહ્યું છે ત્યારે કોંગ્રેસ એકવાર ફરીથી નાક બચાવવાના પ્રયત્નો કરશે. જ્યારે ડાબેરીઓ અને ક્ષેત્રીય પાર્ટીઓ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે મેદાને ઉતરશે.
ચૂંટણીના રણશિંગા ફૂંકાય તે પહેલા જ મેઘાલયમાં કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો ત્યારે ભાજપના અમિત શાહ પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ત્રણેય રાજ્યોમાં રેલીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે દરેક રાજ્યોમાં પક્ષ પલટાનું રાજકારણ પણ ઝડપી થઇ ગયું છે. રાજકીય વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં મહિલા મતદાર મહત્વનો ભાગ ભજવશે.
2011 મતગણતરી અનુસાર મેઘાલયની જનસંખ્યા 32 લાખ છે. જેમાં મહિલા મતદારોએ અને પુરૂષને પાછળ રાખી દીધા છે. રાજ્યોમાં 50.4 ટકા મહિલાઓ મતદાર છે. મુખ્ય ચૂંટણી અધિકારી એફ આર ખારકોંગરે જણાવ્યું હતું કે મતદારયાદીમાં 18 30 104 મતદારોના નામ છે જેમાંથી 9 23 848 મહિલાઓ છે. રાજ્ય સરકારના સત્તાવાર રેકોર્ડ અનુસાર 32 લાખની જનસંખ્યા વાળા મેઘાલયમાં સાક્ષરતા દર 74.4 ટકા છે.
સતત પાંચ વારથી બની રહેલ કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર સાથે કાંટાની ટક્કર
જ્યારે નાગાલેન્ડની જનસંખ્યા અંદાજિત 2 કરોડથી વધુ છે. નાગાલેન્ડમાં હાલ તો નાગાલેન્ડ પીપુલ્સ ફ્રન્ટની સરકાર છે અને મુખ્યમંત્રી ટીઆર જેલિયાંગ તેમની સમગ્ર સરકાર અને રાજ્યના કેટલાક નગા સંગઠન નેશનલ સોશલિસ્ટ કોન્સિલ ઓફ નાગાલેન્ડ (એનએસસીએન)ના ઇજાક-મુઇવા (આઇ-એમ) ગુટ સાથે બનેલી શાંતિ પ્રક્રિયાનો હવાલો આપીને અહીં થનાર વિધાનસભા ચૂંટણી ટાળવાના પ્રયત્નોમાં જોડાયા હતા.
ત્રિપુરમાં પણ ભાજપને પાંચ વાર સતત બની રહેલી કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર સાથે કાંટાની ટક્કર મળશે. જણાવી દઇએ કે કમ્યુનિસ્ટ પાર્ટીઓનો ગઢ મનાય રહેલ રાજ્ય જેમ કેરળ અને પ.બંગાળમાં ડાબેરીઓની સરકારોને હરાવ્યા બાદ ત્રિપુરામાં છેલ્લી પાંચ વારથી માણિક સરકારની સરકાર છે. માણિક સરકારે 2013ની વિધાનસભા ચૂંટણીમાં ઇમાનદારીને એક પ્રમુખ મુદ્દો બનાવ્યો હતો. અને જીતની સાથે ડાબેરી પાર્ટીઓનો ઝંડો બુલંદ રાખ્યો હતો.
નાગાલેન્ડમાં નગા પીપુલ્સ ફ્રન્ટના લોકોએ સત્તાની ચાવી સોંપી હતી. ત્યારે બીજી તરફ બન્ને રાજ્યોમાં ખરાબ પ્રદર્શનને લઇ કોંગ્રેસ મેઘાલયમાં સૌથી મોટ પાર્ટી બનીને ઉભરી હતી.
જો કે 18 રાજ્યોમાં ભાજપની સરકાર છે અને પીએમ મોદીની નજર નોર્થ ઇસ્ટ પર છે. એજ કારણથી કે કેન્દ્ર સરકારે રાજ્યમાં ધાર્મિક અને આધ્યાત્મિક પ્રભુત્વ ઉભૂ કરવા માટે 70 કરોડ રૂપિયાના ટૂરિઝ્મ પેકેઝની જાહેરાત કરી હતી. ત્યારે પીએમ મોદી પણ નોર્થ ઇસ્ટમાં રેલીઓ કરવા માટે તૈયાર છે. પરંતુ નોર્થ ઇસ્ટમાં ભાજપ માટે કેસરીયો લહેરાવવો થોડું આકરૂ સાબિત થશે.
હાલમાં કોંગ્રેસ મોટા પ્રમાણમાં વિરોધનો સામનો કરી રહી છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મંડાઇ છે. અને નાક બચાવવાનો મોકો મળ્યો છે. જણાવી દઇએ કે આ રાજ્યોમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતિથી માત્ર બે સીટોથી ચૂકી ગઇ હતી. માણિક સરકાર નેઇફુ રિયો અને મુકુલ સંગમાં પોત-પોતાના મતદાન ક્ષેત્રોમાં ચૂંટણી જીતી ગયા છે. ત્રિપુરામાં ડાબેરી મોર્ચાને પા' બહુમતિ મળી હતી. માણિક સરકારના ગઠબંધને રાજ્યની 60માંથી 30 સીટો જીતી હતી.
મેઘાલયમાં ભાજપને બાજી જીતવી આકરી સાબિત થશે
ત્યારે મેઘાલયમાં ભાજપને બાજી મારવી મુશ્કેલ સાબિત થશે કારણ કે અહીં 60 ટકા જનસંખ્યા ઇસાઇ છે અને ભાજપનું હિન્દુત્વ કાર્ડ અહીં નહીં ચાલી શકે જ્યારે ઇસાઇ બીફ પણ ખાઇ છે. એટલા માટે અહીંના મતદાતાઓને સમજવા ભાજપ માટે આકરૂ સાબિત થશે.
દેશમાં કેટલીક જગ્યાઓ પર સતત હાર્યા બાદ કોંગ્રેસ માટે મેઘાલયના ચૂંટણી જીતવી બહુ કઠિન રહેશે. કારણ કે વીતેલા કેટલાક દસકાથી કોંગ્રસની રાજકીય હાજરી અહીં મજબૂત બનેલી છે તો કોંગ્રેસ માટે ચૂંટણીમાં જીત મેળવવાની આશા બનેલી છે.
8 જાન્યુઆરીએ એનસીપીના ધારાસભ્ય માર્થન સંગમા અને ચાર અન્ય સ્વતંત્ર ઉમેદવારો- બ્રિગેડી મારાક અસાહેલ ડી શીરા માઇકલ સંગમા અને ડેવિડ નોનગુરૂમે એલાન કર્યું છે કે તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થવા જઇ રહ્યા છે. કોંગ્રેસ માટે આ એકરીતે નુકસાન ભરપાઇ કરવાનો મામલો છે કારણ કે થોડા સમય પહકેલા પાંચ ધારાસભ્યો પાર્ટી છોડીને એનપીપીમાં સામેલ થયા હતા.
એનપીપી બીજેપીની આગેવાની વાળા એનડીએમાં સામેલ છે. પાંચ ધારાસભ્યોના એનપીપીમાં સામેલ થવાથી પ્રાંતિય વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 24 થઇ ગઇ છે. આ બદલાવ પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેધાલય કોંગ્રેસ ઇકાઇના અધ્યક્ષ ડીડી લેપાંગને હટાવીને તેમની જગ્યાએ સેલેસ્ટિન લિંગ્દોહને કમાન સોંપી હતી. તેમણે લિંગ્દોહની દેખરેખમાં પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિની પણ રચના કરી હતી.