ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે પાસ અને કોંગ્રેસની બેઠકને લઇને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પાસનો હાથા તરીકે ઉપયોગ કરતો હોવાનો સણસણતો આક્ષેપ નીતીન પટેલે કર્યો છે. સાથે જ કહ્યું કે કોંગ્રેસે પાસના આગેવાનોને બોલાવી તેમને માન ન આપ્યું કે ન તો પાસ આગેવાનોને ભાવ પૂછ્યો. આ બાબતને લઇને તેમણે કહ્યું કે કોંગ્રેસને પાટીદાર અનામતમાં કોઇ રસ નથી.
Dy CM નીતિન પટેલે PAAS-કોંગ્રેસની બેઠક લઇને નિવેદન આપતાં જણાવ્યું કે કોંગ્રેસ PAASનો હાથા તરીકે ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસ દિલ્લી હાઈકમાન્ડમાં મોટો ઝઘડો ચાલી રહ્યો છે. આ ઉપરાંત ડેપ્યુટી સીએમ નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે બહારથી આવેલા લોકો કોંગ્રેસ પર દબાણ કરી રહ્યા છે. PAASના આગેવાનોને દિલ્લી બોલાવીને બેસાડી રાખ્યા. કોંગ્રેસને પાટીદાર અનામતમાં કોઈ રસ નથી. કોંગ્રેસે PAASના આગેવાનોને ભાવ પણ ન આપ્યો.