મૂર્તિ વિસર્જન મામલામાં કોલકત્તા હાઇકોર્ટથી ઝટકો મળ્યા બાદ મમતા સુપ્રીમ કોર્ટમાં નથી જવાના. હાઇકોર્ટના નિર્ણયનું અભ્યાસ કર્યા બાદ પશ્ચિમ બંગાળ સરકારે નિર્ણય લીધો છે કે મોહર્રમના દિવસે દુર્ગા મૂર્તિ વિસર્જન કરતા પહેલા સ્થાનિક પોલીસને તેની જાણકારી આપવી પડશે અને પોલીસની પરવાનગી લેવી પડશે. જેથી પોલીસને તૈનાત કરવામાં આવે અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી શકે.