વલસાડઃ ખતલવાડ ગામે નાળિયેરીના ઝાડ પર ચઢેલા એક વ્યક્તિનું શંકાસ્પદ મોત નિપજ્યુ હતું. 50 વર્ષીય વ્યક્તિ નાળિયેરીના ઝાડ પર ચઢયો હતો પરંતુ કલાકો સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. અને બાદમાં આ શખ્સનો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો.
ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડને બોલાવીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો.