ડોકલામને લઈને ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ ભર્યા માહોલમાં જાપાનના એક નિવેદનથી ચીનને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. જીહાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ હવે જાપાન પણ ભારતની સાથે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ યુદ્ધ-યુદ્ધ કરી રહેલા ચીનને સલાહ પણ આપી છે. ત્યારે ભારતનો પક્ષ રાખતા ચીનને કેવી મળી જાપાની સલાહ જોઈએ આ અહેવાલમા.
ડોકલામને લઈને છેલ્લા 2 મહિનાથી ભારત અને ચીની સૈનિકો આમને-સામને છે. નથી ચીન પાછળ હટવા માગતું કે ના તો ભારત. ચીન વારંવાર ભારત સામે યુદ્ધની તમકીઓના સુર ઉગારી રહ્યું છે. તેવામાં હવે ભારતને વધુ એક પીઠબળનો સાથ મળ્યો છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ હવે જાપાન ભારતની પડખે આવીને ઉભી રહ્યું છે અને યુદ્ધ-યુદ્ધ કરી રહેલા ચીનને જાપાને ઈશારાઓમાં ચેતવણી આપી છે કે તાકતના જોર પર જમીની સ્થિતિ બદલવાની કોઈ કોશિશ ન કરવી જોઈએ.
શું કહ્યું જાપાનના રાજદૂતે?
જાપાનના રાજદૂત કેંજી હીરામત્સૂએ કહ્યું કે ડોકલામ વિસ્તારમાં અંદાજીત બે મહિનાથી તણાવ યથાવત્ છે. જે ક્ષેત્રની સ્થિરતાને પ્રભાવિત કરી શકે છે. અમે પરિસ્થિતિ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. વિવાદિત વિસ્તાર ચીન-ભૂટાન વચ્ચે આવે છે અને બંને તે વાતને સ્વિકારે છે. એ પણ જરૂરી છે કે વિવાદિત વિસ્તારમાં તમામ પક્ષો પરિસ્થિતિને બદલવા માટે એક તરફી શક્તિનો ઉપયોગ ના કરે. જ્યાં સુધી ભારતની ભૂમિકાનો સવાલ છે. તો ભૂટાન સાથેની સમજૂતિઓને લઈને ભારતે આ પગલું ભર્યું છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત વાતચીતના માધ્યમથી મળીને આ મામલાનું સમાધાન કરવાના પક્ષમાં છે. આ વલણ શાંતીપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ છે. - કેંસી હીરામાત્સૂ જાપાનના રાજદૂત
આપને જણાવી જઈએ કે ડોકલામને લઈને ભારત અને ચીન વચ્ચે પાછલા બે મહિનાથી તણાવ ભર્યો માહોલ છે. ડોકલામ ક્ષેત્ર સિક્કિમની પાસે ભારત-ચીન-ભૂટાન ટ્રાઈજન્ટ પર આવેલું છે. આ વિસ્તાર ભૂટાનની સીમામાં આવે છે પરંતુ ચીન તેને ડોંગલોંગ પ્રાંત બતાવતા પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરી રહ્યું છે અને આ વિસ્તારમાં જ રસ્તો બનાવવાની કોશિશ કરી રહ્યું છે. જોકે ભારતીય સૈનિકોએ ચીનના આ કામને રોકાવી દીધું હતું. ભૂટાન સાથે દ્વિપક્ષીય સમજૂતીને લઈને ભારત પોતાના પાડોશી દેશની સંપ્રભુતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. તેવામાં ભારત દ્વારા દખલ આપવી એ જરૂરી બની જાય છે.