મહેસાણાઃ શહેરમાં કૂતરાઓના ત્રાસ એક પછી એક વધતો જઇ રહ્યો છે. કુતરાના આતંકને લઇ મહેસાણા પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં કુતરાના ત્રાસ પર યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 2016થી 2017 સુધીમાં 4738 કેસ કૂતરૂં કરડવાના દાખલ થયા હતા. સ્થાનિક કાર્યકરના જણાવ્યા અનુસાર દિવસે દિવસે કૂતરાઓનો આતંક વધ્યો છે.
જેમાં મહેસાણાના કસ્બા વિસ્તારનો મોટો વાસ વચલો વાસ છેલ્લો વાસ ડેરીયાવાસ વણકરવાસ નવો વણકરવાસ ટેકરા પર રોહિતનગર લાખવડી ભાગોળ સહિતના અને વિસ્તારોમાં કૂતરાઓએ હાહાકાર મચાવ્યતો છે. વહીવટી તંત્ર અને પાલિકા દ્વારા આવી ઘટનાઓ અટકાવવાના પગલા ભરવામાં આવતા નથી. તેથી આ મામલે નાગરિકો દ્વારા મહેસાણા પાલિકામાં ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે અને જરૂરી પગલા ભરવા નહીં ભરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવાની ચિમકી આપી છે.