ભારતીય લગ્નમાં ઘણી અલગ અલગ પ્રકારની રસમો નિભાવવામાં આવે છે જેને સ્વાસ્થ્યના હેતુથી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આજે અમે તમને મહેંદી લગાવવાથી લઇને સાત ફેરા ફરવા પાછળ સુધીના વૈજ્ઞાનિક કારણો કહેવા જઇ રહ્યા છીએ.
1. મહેંદી લગાવવી
લગ્ન પહેલા છોકરીઓના હાથમાં મહેંદી લગાવવામાં આવે છે જેમાં ઘણા એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. આ દુલ્હા-દુલ્હનને તણાવ માથાના દુખાવો તાવ જેવી સમસ્યાઓથી દૂર રાખવાની સાથે સાથે એમને વાયરલ અને ફંગલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે.
2. હળદર લગાવવી
લગ્ન પહેલા દુલ્હા-દુલ્હનને હળદર લગાવવાની રસ્મ હોય છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો હળદરમાં રહેલા ઔષધીય ગુણ સ્કીનના બેક્ટેરિયાને નષ્ટ કરીને સ્કીનમાં નિખાર લાવે છે.
3. બંગડીઓ પહેરવી
લગ્ન સમયે દુલ્હનના બે હાથમાં બંગડીઓ પહેરાવવામાં આવે છે. હાથના કાંડા પર ઘણા એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે બંગડીઓ પહેરવા પર આ પોઇન્ટ્સ પર દબાણ પડે છે જે તમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
4. સિંદુર ભરવું
હિંદુ રીત-રિવાજોમાં મહિલાઓની માંગમાં સિંદૂરનું ખૂબ મહત્વ હોય છે. આ સ્ત્રી પરણેલી હોવાની નિશાની છે. પરંતુ એને પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકાર માનવામાં આવે છે. કારણ કે એમાં હળદર ચૂનો કેટલાક ધાતુ અને પારો હોય છે. જેનાથી શરીરને ઠંડક અને આરામ મહેસૂસ થાય છે.
5. વેઢ પહેરવી
હિંદુ ધ્મમાં લગ્ન દરમિયાન દુલ્હનના પગમાં વેઢ પહેરાવવામાં આવે છે જેના પણ ઘણા વૈજ્ઞાનિક કારણ હોય છે. પગની બીજી આંગળીમાં એક વિશેષ નસ હોય છે જે ગર્ભાશયમાંથી પસાર થઇને હૃદય સુધી પહોંચે છે. વેઢ ગર્ભાશયને મજબૂત બનાવે છે તથા માસિક ધર્મને નિયમિત કરે છે.
6. અગ્નિના ફેરા લેવા
અગ્નિને પવિત્ર માનવામાં આવે છે જેની ચારે બાજુ ફેરા લઇને વર-વધૂ એક બીજા સાથે સાથ નિભાવવાનું વચન લે છે. હકીકતમાં આગ આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે એ નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મક ફેલાવે છે.