દિવાળીનો ધમધમાટ શરૂ થતાં જ કેટલાય પ્રકારની ખરીદીની શરૂઆત થાય છે. પાંચ દિવસ સુધી ચાલતા આ પર્વમાં દિપક પ્રગટાવાની પરંપરા અકબંધ રહી છે. અગિયારસથી આમ તો દિપકને ઘર આંગણે પ્રગટાવવાની શરૂઆત થાય છે. પરંતુ ધન તેરસના દિવસે દીપક પ્રગટાવવાનું ખાસ મહત્વ છે.
ધનતેરસે દીવો પ્રગટાવવાના આ છે ફાયદા
- ધન તેરસની રાતે જે ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરનાં કોઇપણ સભ્યનું અકાળ મૃત્યુથી રક્ષણ થાય છે.
- કોઇ યુવાન વ્યક્તિનુ પણ અકાળે ક્યારેય અવસાન થતું નથી.
- ધન તેરસની રાતે પ્રગટાવવામાં આવેલ દીવોના તેલમાં આખું લવિંગ નાંખી પ્રગટાવવામાં આવે તો સાત પેઢી સુધી ધનનાં ખુટે તેટલું ધન મળે છે.
- ધન તેરસનો દિવસ ધનની દેવી માં લક્ષ્મીની ઉપાસનાનો દિવસ છે. એટલે આ દિવસે માં લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસ રીતે લક્ષ્મીની કૃપા થાય છે.