ભારતીય પરંપરામાં લગ્નનું ખૂબ જ મહત્વ છે. દરેક નવા નવદંપતી માટે લગ્નની પહેલી રાતે ખૂબ ખાસ હોય છે. એ રાતને લઇને ઘણા સપના જોવે છે અને અહીંથી જ પતિ પત્નીની નવી જીંદગી શરૂ થાય છે. લગ્નની પહેલી રાતે પતિ પત્ની બંને એકબીજાને સારી રીતે સમજે છે અને પસંદ નાપસંદ પણ જાણે છે. પરંતુ કેટલીક એવી ચીજો જે સુહગરાતે કરવામાં આવે તો એનાથી સંબંધ ખરાબ થઇ શકે છે.
લગ્નની પહેલી રાત એક બીજા સાથે પ્રેમથી વાતો કરવી જોઇએ. આવા સમયે એકબીજાના અતિત માટે જો વાત કરવામાં આવે તો એનાથી સંબંધમાં કડવાશ આવી જાય છે અને પહેલી રાત પણ ખરાબ થઇ જાય છે.
મોટાભાગે લગ્નમાં નાની મોટી કમીઓ રહી જાય છે. એવામાં છોકરાઓએ છોકરીના ફેમિલિની ખામી નિકાળવી જોઇએ નહીં એવી જ રીતે છોકરીઓએ પણ એના સાસરી પક્ષની વાત ના કરવી જોઇએ.
લગ્નની પહેલી રાતે બંને લોકો એક બીજાને તનમનથી અપનાવી લે છે પરંતુ રોમાન્સ કરવામાં ઊતાવળ કરવી જોઇએ નહીં. પરંતુ સાથીની પરમિશનથી જ શારીરિક સંબંધ બાંધવો જોઇએ.
લગ્નની રાતે ક્યારેય પણ સાથીમાં ખામી ના નિકાળશો કારણ કે કોઇ પણ વ્યક્તિ પૂરી રીતે પરફેક્ટ હોતી નથી. એવામાં પહેલી રાતને એન્જોય કરો અને એકબીજામાં ખામી નિકાળવામાંથી દૂર રહો.
કેટલાક લોકોને ટેવ હોય છે એ માત્ર પોતાની જ સંભળાવે છે અને સામે વાળાની વાત સાંભળતા નથી પરંતુ પોતાની સુહાગરાત પર પોતે પણ બોલો અને પાર્ટનરને પણ બોલવાનો ચાન્સ આપો જેનાથી સંબંધ મજબૂત થશે.