સામાન્ય રીતે ભારતમાં ઘરની ખરીદી કરવી કે મોટું મકાન બનાવવુ તેને ખાસ મહત્વ આપવામાં આવે છે. ઘરની ખરીદી વખતે પણ કેટલીક સર્વ સામાન્ય બાબતનું ધ્યાન રાખવામાં પણ આવતુ હોય છે.
મુડીનો ઉપયોગ
જ્યારે કોઇ ઘર ખરીદવા વિચાર કરે છે ત્યારે સૌથી પહેલા વિચાર આવે છે કે રિટાયરમેન્ટ સેવિંગ્સને રોકડમાં ફેરવી નાંખવા. પરંતુ નિષ્ણાંતોના મત મુજબ એવુ કરવું યોગ્ય નથી. આ મુડીનો ઉપયોગ કરી લેવાથી આવનારા સમયમાં કોઇ મુશ્કેલી સામે રક્ષણ મળતું નથી.
EPF-PPF ને તાત્કાલિક ના વાપરવુ
ઘરની ખરીદી કરતી વખતે જો એમ્લોય પ્રોવિડંડ ફંડ કે પછી પર્સનલ પ્રોવિડંડ ફંડનો ઉપયોગ કરી લેવાનો વિચાર આવે તો તેને ડાઉન પેમેન્ટ માંટે ના વાપરવા જોઇએ.
બાળકો માંટે ભેગા કરેલ પૈસા વાપરવા નહીં
ઘરની ખરીદી કરતા સમયે કોઇ કારણોસર નાંણાની તંગી સર્જાય તો બાળકો માંટે ભેગા કરેલ નાંણા કે બચતને ક્યારેય ઉપયોગમાં ન લેવી જોઇએ કારણ કે આ બાળકોની બચત બેંકનો ઉપયોગ કરી લેવાથી બાળકોને ભવિષ્યમાં જો તે રકમની જરૂર પડશે તો ત્યારે થોડી અગવડતા થશે.
પર્સનલ લોન ક્યારેય નહિં
ઘરની ખરીદી કરતી વખતે જ્યારે ડાઉનપેમેન્ટ ભરવાનું હોય તો પર્સનલ લોનનો ઉપયોગ કરવો જોઇએ નહીં.
લાઇફ ઇંન્સયોરન્સ પ્લાનનો ઉપયોગ ન કરવો
લાઇફ ઇંન્સયોરન્સનો ઉપયોગ લોકો પોતાના પરીવારને રક્ષણ મળી રહે તે માટે કરતા હોય છે. જ્યારે પણ મકાનની ખરીદી કરવાનો વિચાર હોય ત્યારે ડાઉનપેમેન્ટ ભરવામાંટે લાઇફ ઇંન્સયોરન્સનો ઉપયોગ ન કરવો જોઇએ.