GST પર સતત ટીકાના ભોગ બની રહેલી કેન્દ્ર સરકાર હવે નાના વેપારીઓને દિવાળીની ભેટ આપવાની તૈયારી કરી રહી છે. GSTની કાઉંસિલ બેઠકમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને GST રિટર્ન ફાઇલ કરવા મામલે રાહત મળી શકે છે. બુધવારે પીએમ મોદી નાણામંત્રી અરૂણ જેટલી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે GST પર ઉઠી રહેલા સવાલોને મામલે બેઠક થઇ હતી.
GSTની કાઉંસિલ બેઠકમાં ગુજરાતમાંથી થયેલી રજૂઆતો સંદર્ભે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે. આ બેઠકમાં ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને VAT કમિશનર પણ ઉપસ્થિત છે.