અમદાવાદઃ નવાપુરા પાટિયા પાસે થયેલા અકસ્માત મામલે એક વિદ્યાથીનું સારવાર દરમિયાન મોત થયું છે. માનવ પ્રજાપતિ નામના વિદ્યાથીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચાંગોદર પાસેના હાઇવે પર સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 15થી વધુ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી.
જેમાં 3 વિદ્યાર્થીની હાલત ગંભીર જણાતા સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે સ્કૂલ બસ અકસ્માતની ભોગ બની છે તે દિવ્યપથ સ્કૂલની બસ હતી. પ્રાથમિક તપાસમાં ટ્રક ઓવરસ્પીડમાં હતો જેના કારણે અકસ્માત થયો હતો. બસમાં કુલ 31 વિદ્યાર્થીઓ હતા.