મુંબઇ: 70 વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને હવે ઘરે બેઠા જ બેકિંગ સુવિધાઓ મળી શકશે. રિઝર્વ બેંકે ગુરુવારે અધિસૂચના રજૂ કરીને બેંકોને એવો નિર્દેશ આપ્યો છે કે વૃદ્ધો અને દિવ્યાંગોને પ્રાથમિક બેંકિંગ સુવિધાઓ એમના ઘર પર પહોંચાડવામાં આવે. આ અધિસૂચનામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બેંકોએ આ સેવા 31 ડિસેમ્બર સુધી શરૂ કરવી પડશે.
આ અશક્ત લોકોને રોકડ ચેક અથવા પૈસાની લેણદેણની સુવિધા બેંક એમના ઘરના સરનામાં સુધી પહોંચાડશે. અધિસૂતના રજૂ કરતાં આરબીઆઇએ કહ્યું કે ઘણી વખત દેખવામાં આવ્યું છે કે બેંક શાખાઓમાં આવા લોકોની અવગણના કરવામાં આવે છે. એમની પરેશાનીઓને જોતા કેન્દ્રીય બેંકે બેંકોને આવા દરેક ગ્રાહકો માટે આધારભૂત બેંકિંગ સુવિધાઓ એમના ઘર સુધી પહોંચાડવા માટે કહ્યું છે.