બૉલીવુડમાં એવા અહેવાલો છે કે સલમાન ખાન 'વેલકમ ટુ ન્યૂ યોર્ક' ફિલ્મમાંથી અરિજિત સિંહનું ગીત હટાવી નાખ્યું છે અને તેને રાહત ફતેહ અલી ખાન પાસે રેકોર્ડ કરાવ્યો છે. આ સમાચારના કારણે દરેક માણસ જાણવા માગે છે કે તેમાં કેટલું સત્ય છે. સલમાન ખાને સિંગર અરિજિત સિંહને અત્યાર સુધી માફ કર્યા નથી?
એક અહેવાલમાં જણાવ્યું છે કે આ સમાચારમાં કોઈ સત્ય નથી. સલમાન ખાન 'વેલકમ ટુ ન્યૂ યોર્ક' ફિલ્મમાં માત્ર એક નાનકડી ભૂમિકામાં છે તે સલમાનની ફિલ્મ નથી. તેથી સલમાનનો ફિલ્મના સંગીત સાથે કોઈ સંબંધ નથી. આ સમાચાર વાંચીને સલમાન પોતે આશ્ચર્યચકિત છે.
આ અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ગીતમાં ફેરફાર કરવાનું કારણ ઉત્પાદકો પણ હોય શકે છે. અરિજિત અને ફિલ્મના ઉત્પાદકો વચ્ચે એવી કેટલીક વસ્તુઓ હોઇ શકે છે જેના લિધે ગીતમાં ચેન્જની જરૂર પડી હોય શકે. અંતે ઉત્પાદકોનો નિર્ણય હોય છે.
આ કિસ્સામાં સલમાન અને અરિજિતનું કોઈ સત્તાવાર નિવેદન નથી. સલમાન અને અરિજિત વચ્ચે કોલ્ડ વોર વિષે બધાને કબર છે પરંતુ સમય જણાવશે કે અરિજિતને રીપ્લેસ કરવામાં આવ્યો છે કે નઈ.
અરિજિત સાથે રોષના કારણે સલમાને તેના ગીત ફિલ્મમાંથી કાઢી નાખનામાં આવ્યું હતું. જાણ થતા જ સિંગરે પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા સલમાન પાસે માફી માંગી હતી અને અને વિનાતી કરી હતી કે તેનું ગીત સુલતાન ફિલ્મથી ન કાઢે. ગાયકે એક કલાક પછી તેના પોસ્ટને હટાવી દિધી હતી પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. અરિજિતની પોસ્ટ તમામ લોકોએ વાંચી લિધી હતી. તેમ છતાં તે કહે છે કે એને આશા છે કે એક દિવસ સલમાન તેને માફ કરશે.