ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની ઉંમર પર સવાલ કરનારા ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. શાસ્ત્રીએ કહ્યુ કે ''પોતાનાથી 10 વર્ષ નાના પ્લેયર્સથી વધારે ફાસ્ટ અને ફિટ ધોનનું સ્થાન ટીમ ઇન્ડિયામાં કોઇ બીજો પ્લેયર નહી લઇ શકે.'' તેમણે કહ્યુ કે ''ટીકા કરનારા પૂર્વ કેપ્ટનમાં ખામીઓ ગણવાની જગ્યાએ 36 વર્ષની ઉંમરમાં પોતાના કરિયરની સમીક્ષા કરે.''
ધોનીના ફોર્મની છેલ્લા કેટલાય સમયથી લોકો સમીક્ષા કરવામાં આવી રહી છેતેની તમામ અસફળતા પછી ટીકાકારો ટીમમાં તેના સ્થાનને લઇને સવાલ કરે છેપરંતુ કેપ્ટન કૂલના નામથી ફેમસ પ્લેયરે શ્રીલંકાની વિરુદ્ઘ સીમિત ઑવરોની સીરિઝમાં સારું પરફૉર્મન્સ આપ્યુ હતુ.
રવિ શાસ્ત્રીએ આગળ કહ્યુ કે ''અમે મૂર્ખા નથી. હું આ ગેમને છેલ્લા 30-40 વર્ષથી જોઇ રહ્યો છું. વિરાટ એક દાયકાથી ટીમનો ભાગ છે. અમે જાણીએ છીએ કે આ ઉમંરમાં ધોની 26 વર્ષના પ્લેયર્સને પાછળ છોડી શકે છે. જે લોકો વાત કરી રહ્યા છે તેઓ પોતાની રમતને ભૂલી જાય છે.'' રવિ શાસ્ત્રી સિવાય ટીમના સિલેક્ટર MSK પ્રસાદે પણ સ્પષ્ટતા કરી કે '' કોઇ યુવા પ્લેયર તેની જેમ નથી રમી શકતો.''
રવિ શાસ્ત્રીએ કહ્યુ કે ''જો તમે પોતાને અરીસામાં જોઇને સવાલ કરોતમે 36 વર્ષની ઉંમરમાં શું હતા? શું તમે ઝડપથી 2 રન લઇ શકતા? પરંતુ જ્યારે તેઓ 2 રન લેતાત્યારે આ પ્લેયર 3 રન લે છે. તેણે 2 વર્લ્ડ કપ રમ્યા છે અને તેની એવરેજ આજે પણ 51ની છે આજ સુધી તમારી પાસે કોઇ આ પ્રકારનું વિકેટકીપર નથી જે વનડે ટીમમાં તેની જગ્યા લઇ શકે.'' તેમણે કહ્યુ કે ''ધોની ટેસ્ટ ક્રિકેટ નથી રમી રહ્યો તેનો મતલબ એ છે કે તે 2019 વર્લ્ડ કપ સુધી ક્રિકેટ રમી શકે છે.''