ભાવનગર: ભાવનગરમાં આજે ધનતેરસ નિમિતે ભાવનગર જિલ્લા વૈદ્ય સભા દ્વારા ભગવાન ધનવંતરી પૂજન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ભાવનગર ના વાઘાવાડી ખાતે આવેલા ધન્વન્તરિ સર્કલ માં આજે ભગવાન ધન્વન્તરિની પૂજા માટે સવાર થી જ જીલ્લાભર ના વૈધો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર માં છેલ્લા 50 વર્ષ થી વૈદ્ય સભા ધન્વંતરિ ની પૂજા કરે છે.
ઉલ્લેખનીય છે કે આજે ધનની દેવી લક્ષ્મીજીની પણ ખાસ પુજાનું મહત્વ છે ત્યારે આજના દિવસે મા સરસ્વતી અને આરોગ્યની દેવી ધનવંતરીની પુજાનુ વિશેષ મહત્વ રહેલું છે. ભાવનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.