સમાજવાદી પાર્ટીના નરેશ અગ્રવાલે અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગતો રોયએ RBI ગવર્નરને પૂછ્યું હતું કે નોટબંધી પછી કેટલી પ્રતિબંધિત નોટો સિસ્ટમમાં પાછી આવી છે.
ભારતીય રિસર્વ બેંકના ગવર્નર ઊર્જિત પટેલે બુધવારે એક સાંસદ મિટીંગમાં કીધું હતું કે નોટબંધી બાદ જમા કરાવેલી નોટોનું હજુ પણ એક સ્પેશ્યલ ટીમ દ્વારા સતત 24 કલાક ગણતરી કરવામાં આવી રહ્યું છે. આ કામમાં લાગેલા લોકોને રવિવાર સિવાય કોઈ પણ દિવસે રજા નથી મળતી.
સમાજવાદી પાર્ટીના નરેશ અગ્રવાલે અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગતો રોયએ RBI ગવર્નરને પૂછ્યું હતું કે નોટબંધી પછી કેટલી પ્રતિબંધિત નોટો સિસ્ટમમાં પછી આય છે. આના ઉપર પટેલે કીધું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગતવર્ષે નવેમ્બરમાં નોટબંધીનો અમલ મુકવામાં આવ્યો હતો. આ નિર્ણય પછી 17.7 લાખ કરોડના બદલે અત્યાર સુધી 15.4 લાખ કરોડની નવી ચલણી પ્રસારમાં આવી ગઈ છે.
પટેલે લીધું હતું કે હજુ પણ પ્રતિબંધિત નોટો નેપાળથી પરત આવાની બાકી છે અને સહકારી બેન્કોને તેમને સ્વીકારવાની મંજુરી આપવામાં આવી છે. આ સિવાય તેમને કીધું હતું કે પોસ્ટ ઓફીસ જેમાં ગતવર્ષે લોકોએ જૂની નોટો જમા કરાવી હતી તેને હજુ સુધી પણ સરકારમાં જૂની નોટો જમા કરાવી નથી.
ઊર્જિત પટેલે બીજી વખત નોટબંધી ઉપર સંસદીય સમિતિને સવાલોના જવાબો આપ્યા હાજર રહ્યા હતા. ગઈ વખતે તે જાન્યુઆરીમાં સમિતિ સમક્ષ હાજર રહ્યા હતા પરંતુ સાંસદો પાસે બીજા ઘણા સવાલો હતા. કોંગ્રેસ સાંસદ વિર્રપા મોઈલીની નેતૃત્વ હેઠળની સમિતિએ તેમને મધ્યવર્તી મહિનામાં બે વખત બોલાયા હતા પરંતુ તેમને બેઉ વખત નાણાકીય નીતિમાં હોવાથી તેમને છૂટ માંગી હતી.