ભાવનગરઃ જિલ્લામાં કાચા કામના કેદીનુ સારવાર દરમિયાન મોત થયુ છે. કાનજી વાળા નામના કેદીનુ સારવાર દરમિયાન મોત થયું છે. છેલ્લા 6 મહિનાથી આ કેદી જેલમાં બંધ હતો. લુંટના ગુનામાં સંડોવાયેલા કેદી જેલમાં બંધ હતો.
ત્યારે એકાએક 10 ફેબ્રુઆરીના રોજ આ કેદીની તબિયતલ લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન કેદીની સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. ત્યારે હવે આ મામલે ભાવનગર A ડિવિઝન અને જેલ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે કાચાં કામના કેદીનું મોત થયું. કાનજી ઉર્ફે(સુનિલ)અશોકભાઈ રાઠોડ (ઉં.વ.30). જિલ્લા જેલમાં છેલ્લા 6 મહિનાથી કાચા કામના કેદી તરીકે રખાયો હતો. લૂંટના ગુનાંમાં સંડોવાયેલા હતા. ગત તારીખ 10ના રોજ તેઓને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં CCU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં આજ રોજ સવારે સારવાર દરમ્યાન તેઓનું મોત થયું હતું. આ બનાવની જાણ થતાં એ ડિવિઝનના પીઆઇ તથા જેલના અધિકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.