નવરાત્રી એટલે વિશ્વનો સૌથી લાંબો સમય ચાલતો તહેવાર. જગદંબાની 9 દિવસ સુધી આરાધના કર્યા બાદ 10મોં દિવસ એટલે દશેરા. આ દિવસ ભારતીય સંસ્કૃતિ મુજબ વિજયા દશમી ઉત્સવ તરીકે પણ જાણીતો છે. વિજયા દશમી પર્વ એટલે અસત્ય પર સત્યનો વિજયનો દિવસ. આષો સુદ 10 ના દિવસે આ પર્વ મનાવવામાં આવે છે. ભગવાન શ્રીરામ લંકા પર વિજય મેળવી અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ રામજીના સ્વાગત કરવા માટે થઇ ઘરે દિપક પ્રગટાવી ઉત્સવ મનાવ્યો હતો.તે દિવસ એટલે દશેરા.
દશેરા સાથે જોડાયેલ આ પ્રસંગ દરેક પરિવાર જાણે છે અને જલેબીચોળાફળી અને ફાફડા ખાઈને ઉજવીયે છીએ. ગામને પાદર આવેલ મોટા મેદાનમાં રાવણનું પૂતળું બનાવીને તેનું દહન પણ કરીયે છીએ પરંતુ આપણા શરીરમાં રહેલ અહંકાર નામ ના રાવણનું દહન ક્યારે કરીશું તે એક ગંભીર પ્રશ્ન છે. જે મને બોલાવે તે જ વ્યક્તિને હું બોલવુંતે મારે ત્યાં પ્રસંગ માં આવ્યો હોત તો જ હું તેને ત્યાં જાતએ મારા સ્ટેટસ કરતા ખુબ નાનો માણસ છે હું તેની સાથે કેમ વ્યવહાર રાખું જેવી અનેક બાબતો મનુષ્ય સહજ સ્વાભાવની ખાસિયત છે.
આવતીકાલે વિજય દશમી પર્વ છે ત્યારે પુતળા રૂપી રાવણનાં દહનની સાથે મનમાં રહેલ અહંકાર નામના રાવણનો નાશ કરીશું તો જ આપણું જિંદગીની બેલેન્સ સીટ સરભર રહેશે અને એકબીજાને ગમતા રહીશું. દશેરા પર્વની જલેબી ફાફડા અને ચોળાફળી ભરેલી શુભેચ્છાઓ..