જમીન મુદ્દે ગુરુવારે કલેકટર કચેરીમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરનું શુક્રવારે મોડી રાત્રે એપોલો હોસ્પિટલમાં મોત થયું હતું.ગુરુવારે સાંજે એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારથી તેમની હાલત ગંભીર હતી.શુક્રવારે પણ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.જ્યાં તેમણે શ્વાસ છોડી દીધા હતા.હોસ્પિટલના તબીબોએ પરિવારજનોની રાહ જોયા પછી તેમનું મોત થયાની પુષ્ટિ કરી હતી.
દલિત આગેવાન ભાનૂભાઇની મોત બાદ દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભાનૂભાઇના મોતના પગલ ઉંઝા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. સમગ્ર દલિત સમાજ દ્વારા ઉંઝા બંધની જાહેરાત કરવામાં આવી છે. દલિત સમાજની મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.