પાટણ: કોંગ્રેસ પાટણમાં પાસ કન્વીનર કિરીટ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરી શકે તેમ છે.ત્યારે દલિત સમાજ દ્વારા કિરીટ પટેલનો વિરોધ કરવામાં આવ્યો છે.
દલિત સમાજે કોંગ્રેસના નેતાઓને ચીમકી આપી છે કેજો કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવશે તો દલિત સમાજ દ્વારા કોંગ્રેસનો વિરોધ કરવામાં આવશે.
મહત્વનું છે કેકિરીટ પટેલે ભૂતકાળમાં એક્રોસિટીના કાયદા વિરુદ્ધ નિવેદન આપ્યું હતું અને એક્રોસિટી કાયદાને કાળો કાયદો ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કેપાટણમાં દલિત સમાજનું વર્ચસ્વ પણ રહેલું છે. દલિત સમાજ વસ્તીમાં ત્રીજા નંબર પર આવે છે.ત્યારે જો તેઓ વિરોધ કરે તો કોંગ્રેસને ભારે પડી શકે છે.