પાટણ જિલ્લા કલેક્ટર કચેરી આગળ જમીન બાબતે સરકારી બહાનાબાજીથી કંટાળી આત્મવિલોપનનો પ્રયાસ કરનારા દલિત આગેવાને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. તેઓ શરીરે 70 ટકા દાઝી ગયા હતા અને એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
આજે ભાનુબાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં પેનલ ડૉક્ટર્સ દ્વારા વીડિયોગ્રાફી સાથે ભાનુભાઇનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસના કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર SPR અને સ્થાનિક પોલીસ સહિતના 100 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
દલિત આગેવાન ભાનૂભાઇની મોત બાદ દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભાનૂભાઇના મોતના પગલ ઉંઝા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. સમગ્ર દલિત સમાજ દ્વારા ઉંઝા બંધની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.