વલસાડ:દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા પર આજે ઓખી વાવાઝોડુ ત્રાટકી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના 70 કિલોમીટર દરિયા કિનારાના કાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. વડોદરાથી એક એન ડી આર એફ ની એક ટુકડી વલસાડ માં સ્ટેડ બાય મોડમાં રાખવામાં આવી છે.મધરાતથીજ સાયક્લોનની અસર દેખાવાની શરૂઆત થઇ હતી.
જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌથી વધારે અસર કાંઠના ગામો માં જોવા મળી રહી છે. સુપ્રસિદ્ધ તિથલ બીચ પરનો દરિયો પણ તોફાની બની શકે તેવી સંભાવનાને જોતા પ્રવાસીઓ માટે મનાઈ ફરવામાં આવી છે.
તંત્ર દ્વારા જિલ્લાના દરિયા કિનારાના કાંઠા વિસ્તારો એલર્ટ જાહેર કરાયું છે. જિલ્લાના દરિયાકિનારા વિસ્તારમાં બે નમ્બરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
સાથે જ તંત્ર દ્વારા કિનારા વિસ્તાર ના ગામ ના લોકો ને સાવચેત રહેવા ની સાથે એલર્ટ રેહવાની સાથે તંત્ર ના સતત સંપર્કમા રહેવાની સૂચના આપવામાં આવી હતી. અને કંટ્રોલ રૂમ પણ શરુ કરાયો છે.
તો જિલ્લામાં પડી રહેલ વરસાદથી શિક્ષણ તંત્ર ને પણ અસર થઇ છે. કાંઠાના ગામો માં આવેલ શાળા માં જરૂર લાગે તો શાળા બંધ કરવાનો આદેશ પણ જિલ્લા શિક્ષણ અધિકારી એ આપી દીધો છે.