હિંદુઓની દરેક પૂજામાં દહીંનો ઉપયોગ જરૂરી હોય છે કારણ કે દહીં શુભ માનવામાં આવે છે. લગ્ન અથવા પૂજાપ પાઠના દરેક ભોજનમાં દહીંનો પ્રયોગ થાય છે કારણ કે એ સમયે મોટાભાગના લોકો વ્રત રાખે છે. ખાલી પેટ હોવાને કારણે માણસને એસિડિટીની સમસ્યા થાય છે આ કારણે દહીં ખવડાવવામાં આવે છે જે મગજ અને પેટ બંનેન ઠંડું રાખે છે આ કારણથી આ પ્રયોગ થવો એક પરંપરા બની ગઇ છે.
જે પ્રકારે દહીંનો ઉપયોગ પૂજામાં થાય છે એવી જ રીતે કાન્હાની પૂજા માખણથી થાય છે. કૃષ્ણને માખણનો ભાગ લગાવે છે માખણ દૂધની અંતિમ અવસ્થઆ હોય છે જે ઘણી બધી પ્રક્રિયા બાદ તૈયાર કરવામાં આવે છે. એનો આશય એ વ્યક્તિથી હોય છે જે દુનિયાના બધા કર્મો ભોગવીને એની પર જીત મેળવીને ભગવાન શ્રીકૃષ્ણના શરણમાં આવે છે.
માખણનો આશય જીવનથી થાય છે ભલે મનુષ્ય એક સાંસરિક વ્યકિત હોય છે પરંતુ એને જીવનનો અર્થ ખબર હોય છે માણસ માખણની જેમ કોમળ અને મુલાયમ હોય છે જેને બહારની ચીજો દૂષિત કરતી નથી. કાન્હાનો જન્મ ન્યાય અપાવા થયો હતોય. એમને લોકોને ગીતાનો પાઠ ભણાવ્યો છે જેમાં તો કર્મ તો પ્રધાન હોય છે પરંતુ એ ધર્મને છોડતો નથી આ કારણથી કૃષ્ણને માખમનો ભોગ લગાવવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવે છે કે પરંપરાઓમાં જીવનથી જોડાયેલા ઘણા બધા રહસ્યો છુપાયેલા હોય છે જે માણસને માર્ગદર્શન કરે છે.