મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન્સી સોંપવામાં આવી તે સમયે ટીમ ઇન્ડિયા ખરાબ ફોર્મમાં ચાલી રહી હતી. 2007માં વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઇન્ડિયાનું પરફૉર્મન્સ ખરાબ રહ્યુ હતુ. ટીમ ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઇ ગઇ હતી. સીનિયર પ્લેયર્સના ફોર્મ પર સવાલ થઇ રહ્યા હતા. આ વચ્ચે સિલેક્ટર્સે મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સી સોંપી દીધી.
માહીને 2007માં વર્લ્ડ T-20 માટે યુવા ટીમ આપવામાં આવી અને તે પછી જે થયુ તેનો ઇતિહાસ તો આપણે બધા જાણીએ છીએ. 10 વર્ષ પછી ધોનીએ છેવટે 26 વર્ષની ઉંમરે કેપ્ટન બનાવવા પાછળનું કારણ જણાવ્યુ. રસપ્રદ વાત એ છે કે સિલેક્ટર્સની જે મીટિંગમાં કેપ્ટન્સીનો નિર્ણય લેવામાં આવ્યો તે મીટિંગમાં ધોની હતો પણ નહી.
તમને જણાવી દઇએ કે 2007 યુવરાજ સિંહ હરભજન સિંહ અને વિરેન્દ્ર સહેવાગ જેવા પ્લેયર્સની હાજરી હોવા છતા ધોનીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેની કેપ્ટન્સીમાં ઇન્ડિયન ટીમે 2007નો T-20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. આ વર્લ્ડ કપ પછી ધોનીની કેપ્ટન્સીના ખૂબ જ વખાણ થયા હતા.
ધોનીને પૂછવાવામાં આવ્યું હતું કે 10 વર્ષ પહેલા તેમને ટીમની કેપ્ટનસી કેવી રીતે મળી હતી. તેના જવાબમાં ધોનીએ કહ્યું કે ''એકવાર ફરી આ મુશ્કેલ જવાબ છે કેમ કે તે સમયે ઘણા સીનિયર ખેલાડીઓએ મને સાથ આપ્યો હતો. જ્યારે મને કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે તે મીટિંગમાં હું હાજર પણ નહતો. મને લાગે છે કે મારી ઈમાનદારી અને રમત પ્રત્યેની મારી જાણકારીને લઈને મને ટીમ ઈન્ડિયાની કેપ્ટનસી મળી. રમતને જાણવી ખુબ જ જરૂરી છે. જોકે તે સમયે ટીમમાં હું એકમાત્ર યુવા ખેલાડી હતો અને જ્યારે એક સીનિયર ખેલાડીએ મારી સલાહ માંગી તો મે ખુલીને સલાહ આપી. કદાચ તે પણ કારણ રહ્યું હોય કે ટીમના બાકી ખેલાડીઓ સાથે મારા સંબંધ સારા હતા.''