નવી દિલ્હી: સિલેક્ટર્સ હજુ સુધી એ નક્કી કરી શક્યા નથી કે મહેન્દ્ર સિંહ ધોની 2019 વિશ્વ કપ માટે ભારતીય ટીમમાં હોવો જોઇએ કે નહીં પરંતુ વીરેન્દ્ર સહેવાગનું માનવું છે કે પૂર્વ કેપ્ટનનો સાચો વિકલ્પ હજુ શોધવાનો છે.
સહવાગે કહ્યું કે 'મને નથી લાગતું કે હજુ ધોનીનો કોઇ વિકલ્પ હોય. રિષભ પંત સારા છે પણ એને ધોનીની જગ્યા લેવા માટે સમય જોઇએ. આ પણ 2019 વિશ્પ કપ બાદ જ થઇ શકે છે. આપણે આ વિશ્પ કપ બાદ જ ધોનીનો વિકલ્પ માટે વિચારવું જોઇએ ત્યાં સુધી પંત પણ અનુભવી થઇ જશે.'
ક્રિકેટ ચાહકોને થોડા સમય પહેલા ધોનીના ખરાબ ફોર્મ માટે વિચારવાની જગ્યાએ આવી પ્રાર્થના કરવી જોઇએ કે ધોની અત્યારે જેવો ફીટ છે એવો આગળ પણ ફીટ રહે. વીરુએ કહ્યું કે આપણે એ વાતની ચિંતા ના કરવી જોઇએ કે ધોની રન બનાવી રહ્યો છે કે નહીં. આપણે માત્ર એવી પ્રાર્થના કરવી જોઇએ કે એ 2019 વિશ્વ કપ સુધી ફીટ રહે.
સહવાગે કહ્યું કે ધોનીનું કરિયર જીવન ચક્રની જેમ છે. ક્યારેક તમે રન બનાવો છો તો ક્યારેક તમે નિષ્ફળ થાય છે.