સુરતઃ 136 નકલી "માં અમૃતમ" કાર્ડ મળ્યા છે. આ નકલી કાર્ડ બનાવનાર 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ચોક બજાર પોલીસે તમામ નકલી કાર્ડ અને મશીને કબ્જે કર્યા છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચોક બજાર પોલીસે બોગસ રીતે થમ્બ ઇમ્પ્રેશન બનાવી માં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ કાઢી આપનાર બે શખ્સો દિગ્વિજય દીપસિંગ ચૌહાણ અને પાર્થ રાજદીપસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.
ખોટા માં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ બનાવી લોકો પાસેથી રૂપિયા લેતા હતાં. આ આગાઉ પાંડેસરા પોલીસ મથકમાં અમદાવાદના રહીશ હિતેશ સહીત 3 શખ્સો વિરુદ્ધ ખોટા આધાર કાર્ડ કાઢી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
લાયસન્સ ન હોવા છતાં માં અનૃતમ અને વાત્સલ્ય કાર્ડ બનાવી આપતો હતો. અંગુઠાનું રબર સ્ટેમ્પ બનાવી માં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ બનાવવામાં આવતો હતો.