શ્રીનગરઃ ભારત અને ચીન વચ્ચે ડોકલામ મામલો શાંત પડયા બાદ ફરી ડ્રેગનના નાપાક પ્રયાસો સામે આવ્યા છે. વિવાદિત વિસ્તારમાં ચીની સેનાના લગભગ 1800 સૈનિકો તૈનાત થઇ ગયા છે. અહીં નિર્માણકાર્ય પણ શરૂ કરી દીધું છે.
આ વિસ્તારમાં પીપલ્સ લિબરેશન આર્મીના જવાનો કાયમી વસવાટ કરે છે. ચીની સેના અહી હેલિપૈડ બનાવી રહી છે. આ સિવાય રસ્તાઓને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. સાથે જ ચીની સેના શિબિર પણ બનાવી રહી છે. ભારત હવે એ રણનીતિ સુધી પહોચી ગયું છે કે ચીનને દક્ષિણ વિસ્તારમાં રસ્તાઓનો વિસ્તાર નહી કરવા દે.
ભારતના સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે સપ્ટેમ્બરમાં આશંકા વ્યક્ત કરી હતી કે ચીન વિવાદિત વિસ્તારમાં પોતાની તાકાત અજમાવવાનો પ્રયાસ કરતું રહેશે.