ગાંધીનગરઃ આજે ગાંધીનગરમાં ફિક્સ પગારદારો મુદ્દે જન વેદના સંમેલન યોજાવાનું છે. ફિક્સ કર્મીઓ મુદ્દે આંદોલન ચલાવી રહેલા પ્રવિણ રામ આ સંમેલન યોજવા જઈ રહ્યા છે. સવારે 9 કલાકે ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે આ સંમેલન મળવાનું છે. જેમાં 20 હજારથી વધુ ફિક્સ પગારદારો સામેલ થશે. બીજી તરફ આ સંમેલનને પોલીસની મંજૂરી પણ મળી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારમાં 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખવામાં આવે છે. અને પાંચ વર્ષ બાદ જ કર્મચારીને ફુલ પગારમાં લેવામાં આવે છે.