ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક પછી એક ગરમાવો આવી રહ્યો છે. ત્યારે રાજકોટ બેઠક પર કોંગ્રેસમાં 2 ફાટા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસમાં અંદોરો -અંદર વિવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસનું જ એક નારાજ જૂથ રજૂઆત કરવા માટે અશોક ગહેલોત પાસે પહોંચ્યું છે.
તો રજૂઆત કરીને આવેલા નારાજ જૂથે સમગ્ર હકીકત મીડિયા સમક્ષ જણાવી હતી. નારાજ જૂથે રાજકોટ શહેર પ્રમુખ ઈદ્રનીલ રાજ્યગુરુ સામે નારાજગી વ્યક્ત કરી છે. ઈદ્રનીલ રાજ્યગુરુએ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. રાજ્યગુરુને પ્રમુખ પદેથી હટાવવાની એક જૂથે માગ કરી છે. સાથે રાજકોટ પૂર્વથી મિતુલ દોનગાના નામનો પણ વિરોધ થઈ રહ્યો છે.