સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે જ બનાસકાંઠા કોંગ્રેસમાં ઘમાસાણનો માહોલ જામ્યો છે.મળતી માહિતી પ્રમાણે જિલ્લા કોંગ્રેસના વહીવટદારો દ્વારા જિલ્લા-તાલુકાની સીટો પર 2 થી વધુ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે. જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ફેલાયો છે.
કોંગ્રેસના કાર્યકરોએ અને ઉમેદવારોએ જિલ્લા કાર્યાલય પર વિરોધ નોંધાવતા કાર્યાલયને તાળા લગાવી દીધા છે.ઉમેદવારોનો આક્ષેપ છે કે જિલ્લા કોંગ્રેસના વહીવટદારો દ્વારા મેન્ડેટ બદલવામાં આવ્યા છે.જોકે પોતાની માગ નહીં સંતોષાય તો ઉમેદવારોએ પોતાના કાર્યકરો સાથે કોંગ્રેસમાંથી છેડો ફાળવાની ચિમકી પણ ઉચ્ચારી છે.