પોરબંદર: ભાજપના નેતા બાબુ બોખરિયાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બાબુ બોખરિયા મોદી ભક્તિમાં એટલા તો લીન થઈ ગયા કે તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે.
બાબુ બોખિરીયાએ પોરબંદર વિધાનસભા સીટના સ્નેહમિલન કાર્યક્રમમાં બફાટ કર્યો. બાબુ બોખિરીયા એટલી હદે ભાન ભૂલ્યા અને તેમણે કહ્યું કે દેશ આઝાદ થયો ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ ઈચ્છતા હતા કે દેશના પ્રધાનમંત્રી નરેદ્ર મોદી બને. જોકે બાબુ બોખરિયા એ ભૂલી ગયા કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પીએમ મોદીનો જન્મ પણ નહોતો થયો. દેશ 1947માં આઝાદ થયો હતો અને પીએમ નરેદ્ર મોદીનો જન્મ 1950માં થયો હતો.
બોખરિયા નરેન્દ્ર મોદીના ગુજરાત મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પણ મંત્રી હતા. બોખરિયાને 54 કરોડ રૂપિયાના ગેરકાયદે રૂપથી ચૂના પથ્થરક ખનન કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોરબંદરની એક કોર્ટે એમને 3 વર્ષની સજા સંભાળાઇ હતી.