રાજકોટ: આવકવેરા વિભાગ દ્વારા જ્વેલર્સ પર દરોડા પાડવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આવકવેરા વિભાગ દ્વારા જોયઆલુક્કાસ જ્વેલર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે. આજે પણ જોયાલુક્કાસ જવેલર્સના દરોડા યથાવત રહ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા રાજકોટ અને વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર 8 અધિકારીઓની ટીમ દ્વારા દરોડા હાથ ધરાયા હતા. દસ્તાવેજ અને ફાઈલોની તપાસ કરવામાં આવી રહી છે. ડિજિટલ અને કાગળ પરના રેકોર્ડ ચકાસવાની કામગીરી શરૂ થઈ છે. જ્યારે ખરીદ અને વેચાણ રેકોર્ડ સર્વે કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગુજરાત સહિત દેશમાં જોયઆલુક્કાસના 130 જેટલા શો રૂમ છે. જેમાં બુધવાર સવારથી જ આવક વેરા વિભાગે ધામા નાંખ્યા હતા. જેમાં આઇટીના અધિકારીઓ દ્વારા કોમ્પ્યૂટર હાર્ડ ડિસ્ક અને હિસાબી ચોપડા જપ્ત કર્યા છે.