ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જામ્યા બાદ ભાજપનો પાતળી સરસાઇથી વિજય થયો હતો.આ સાથે ભાજપે ગુજરાતમાં છઠ્ઠી વખત સરકાર બનાવી હતી. જોકે ખાતાની સોંપણી સમયે ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલને થોડા સાઇડ લાઇન કરાતા તેઓ પક્ષથી નારાજ થયા હતા.પરંતુ અંતે તેમને મનાવી લેવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ભાજપની સરકાર રચાયાં બાદ કેટલાક નેતાઓને મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવ્યા ન હતા.ત્યારે આગામી 23 જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર વિધાનસભાના સ્પિકરના નામની જાહેરાત કરવાની છે ત્યારે ભાજપના આ બે નેતાના નામે હાલ ચર્ચાનું જોર પકડ્યું છે.
ભાજપના દિગ્ગ્જ નેતા અને વડોદરા બેઠકના ઉમેદવાર રાજેન્દ્ર ત્રિવેદી અને ડો.નીમાબહેન આચાર્ય અને દુષ્યંત પટેલનાં નામે હાલ ચર્ચાનું જોર પકડ્યું છે. જો કે આગામી સમયમાં હાઇકમાન્ડ નક્કિ કરશે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોને બનાવામાં આવે.