અમદાવાદ: કોંગ્રેસની દ્વારા ઉમેદવારોની યાદી પ્રકાશિત કરવા માટે લાગી રહેલી વાર અંગે જણાવતા ભરતસિંહ સોલંકીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આજની તારીખ બદલાય તે પહેલા યાદી આવી જશે. તેમજ પાટીદાર સમાજની ટીકીટ બાબતે તેમણે જણાવ્યું હતું કે પાસના કોઇ નેતાએ ટીકીટની માંગણ કરી નથી.
કોંગ્રેસ ગુજરાતની જનતાનું હિત વિચારીને જ ઉમેદવાર નક્કિ કરશે તેમજણાવ્યું હતું. તેમજ આ સિવાય તેમણે વધુ નિવેદન આપતા જણાવ્યું કે PAASનાં આગેવાનોએ કોઈ જ ટિકિટની માંગ કરી નથી. કોંગ્રેસ પોતે જ ગુજરાતનાં હિતમાં તેમજ વિકાસ માટે જરૂરી ટિકિટની ફાળવણી કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે સિવાય પણ ઉમેદવારોની યાદીને લઇ નિવેદન આપતા તેઓએ કહ્યું કે આજે તારીખ બદલાય તે પહેલા જ ઉમેદવારોની યાદી જાહેર થઈ જશે. કોંગ્રેસ એ એક વૈચારિક પાર્ટી છે. કોંગ્રેસની યાદી આજની તારીખમાં જરૂરથી જાહેર થઇ જશે. ભાજપ દ્વારા બે તબક્કામાં ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે.
જ્યારે કોંગ્રેસ હજુ પહેલું લિસ્ટ પણ જારી નથી કરી શક્યું. જેથી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશાં ગુજરાતની જનતાનું હિત જ ઇચ્છે છે તેથી તે વિચારીને જ ઉમેદવાર નક્કી કરશે.