ભૂતપૂર્વ આર્મી ચીફે સિયાચીનને લઇને સનસનીખેજ ખુલાસો કર્યો છે. પુર્વ જનરલ જે.જે. સિંહે જણાવ્યું હતું કે યુપીએ સરકાર સિયાચીન ગ્લેસિયરને પાકિસ્તાનમાં સોંપવાની ઇચ્છા ધરાવતી હતી . તેમના નિવેદનમાં જનરલ સિંહે સીધા કૉંગ્રેસ સરકાર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે સૈન્યને આત્મવિશ્વાસમાં લીધા વિના સિયાચીનને પાકિસ્તાન સોંપવાની ફિરાકમાં હતી તેમ જણાવ્યું હતું.
સેનાના જનરલ સિંહે જણાવ્યું હતું કે તત્કાલીન સરકાર પર સવાલ એટલામાંટે ઉભો થાય છે કારણ કે સિયાચિનની ટોચ પર જ્યારે સેનાના કેટલાય જવાનોએ જીવ ગુમાવ્યા છતાં સરકારે ત્યાંથી પીછેહઠ કરવાની ના પાડી હતી.
જનરલ સિંહે એમપણ કહ્યું હતું કે આ પ્રસ્તાવ પર પ્રક્રિયા કરતા પહેલાં કોંગ્રેસ સરકારે સેનાના અધિકારી સાથે વાત કરવાની ચિંતા નથી કરી. આ દરમિયાન ભૂતપૂર્વ લશ્કરના વડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે એવા સૈનિકોની શહીદીનું અપમાન કર્યુ છે જેણે સિયાચીનના બરફીલા વિસ્તારમાં રહીને પણ તે વિસ્તારનું રક્ષણ કરતા-કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.