અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા કપડવંજમાં તાલીમ શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આજે તાલીમ શિબિરનો બીજો દિવસ છે. તાલીમ શિબિરના બીજા દિવસે અડધાથી વધુ ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે. કોંગ્રેસના 77 ધારાસભ્યોમાંથી માત્ર 35 ધારાસભ્યો હાજર રહ્યા છે.
શિબિરનો પ્રારંભ થવા છતા પણ ધારાસભ્યો શિબિર ખાતે પહોંચ્યા નથી. મહત્વનુ છે કે તાલીમ શિબિરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ ગેરહાજર રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના સંગઠન અને ધારાસભ્ય દળ વચ્ચે સંકલનનો અભાવ લાગી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસે હવે પોતાના ધારાસભ્યો અને નેતાઓને વધુ સક્ષમ બનાવવા માટે તાલીમ શિબીરનું આયોજન કર્યું હતું. 9 ફેબ્રુઆરીથી ત્રી-દિવસીય તાલીમ શિબીરનું કોંગ્રેસ દ્વારા કપડવંજની એક ખાનગી રિસોર્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ ત્રી-દિવસીય શિબીર દરમિયાન કોંગ્રેસ સેડો મિનીસ્ટ્રીની રચના કરશે. જેમાં તમામ ધારાસભ્યોને તેમની આવડત પ્રમાણે ખાતાઓની ફાળવણી કરવામાં આવશે.