નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના આગામી પૂર્ણ સત્ર માટે નવી સંચાલન સમિતિનું ગઠન કર્યું છે. 34 સભ્યોની આ કમિટીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટની અહમદ પટેલ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ પૂર્વ નાણામંત્રી પી ચિજંબરમ સહિત અન્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સંચાલન સમિતિ કોંગ્રેસની કાર્યસમિતિની જગ્યા લેશે. રાહુલ ગાંધી દ્વારા ગઠિત આ સમિતિની બેઠક 17 ફેબ્રુઆરીએ કોંગ્રેસ મુખ્યાલયમાં થશે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટા ફેરફારની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સાથે કહેવામાં આવી રહ્યું હતું કે રાહુલ ગાંધી કોંગ્રેસની સૌથી મોટા નિર્ણય લેનાર બોડી 'કાર્યસમિતિ'ને આવનાર દિવસોમાં ભંગ કરનાર છે એટલે કે સોનિયા ગાંધીના કાર્યકાળમાં બનેલી આ કાર્યસમિતિ હવે રાહુલના કાર્યકાળમાં નવી રીતે ગઠિત થશે.
કહેવામાં આવી રહ્યું હતું કે રાહુલ ગાંધીની પ્રક્રિયા હેઠળ હવે કોંગ્રેસની જૂની કાર્યસમિતિને ભંગ કરવાનું મન બનાવી લીધું છે. ટેકનીક રીતે કાર્યસમિતિ ભંગ થતા જ એ સંચાલન સમિતિમાં ફેરવાઇ જશે જે આગળના મહિને 17 18 માર્ચે દિલ્હીમાં સંભાવિત પાર્ટીના અધિવેશન સુધી કાર્યવાહક તરીકે બનેલી રહેશે.
અત્યાર સુધી કોંગ્રેસ અધ્યક્ષ સહિત કાર્યસમિતિમાં કુલ 25 સભ્ય રહેતા હતા જેમાં 12ની ચૂંટણી થતી હતી અને 12 સભ્યો પાર્ટી અધ્યક્ષ દ્વારા પસંદ કરવામાં આવતા હતા. માનવામાં આવી રહ્યું છે કે નવી સંચાલન સમિતિનું ગઠન થવાથી રાહુલ ગાંધીની ટીમ સામે આવી ગઇ છે.