અમરેલીના રાજુલામાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો. ચાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ખોડાભાઇના પુત્ર પીઠાભાઇ નકુમે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા પીઠાભાઇએ દાવેદારી નોંધાવી હતી. છેલ્લી ઘડીએ કોંગ્રેસે પીઠાભાઇને ટિકિટ ન આપતા પંચોળી આહીર સમાજ નારાજ થયો હતો. જેને લઇને પીઠાભાઇ નકુમે કોંગ્રેસ સાથે છેડો ફાડીને વિશાળ સંખ્યામાં કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરતાં કોંગ્રેસમાં રીતસરનું ગાબડુ પડી ગયુ હતું.
પીઠાભાઇએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા મારા સમાજને અન્યાય કર્યો છે. સમાજના કહેવાથી હું ભાજપમાં જોડાયો છે. પીઠાભાઈ નકુમની ટીકિટ કાપવાથી શું પરિણામ આવે છે તે હું કોંગ્રેસને બતાવી દઈશ તે પ્રકારની ચીમકી ઉચ્ચારી હતી.