પાટણઃ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો અમદાવાદમાં વિરોધ કરાયો છે. ગાય મુદ્દે વિવાદીત ટિપ્પણીને લઇને કિરીટ પટેલનો વિરોધ કરવામાં આવ્યો છે. માલધારી સમાજના લોકોએ ધારાસભ્યનો વિરોધ કર્યો છે. કલેક્ટર કચેરી સામે વિરોધ કરાયો હતો. મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
શું છે સમગ્ર મામલો અને કિરીટ પટેલ શું બોલ્યા?
મહત્વનુ છે કે પાટણમાં રખડતી ગાયોના ત્રાસથી લોકોને બચાવવા માટે કિરીટ પટેલે સભામાં દંડો લઈને નિકળવાની વાત કરી હતી. આ મામલે માલધારી સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો છે.
કિરીટ પટેલે નિવેદન આપ્યું હતું કે ઘણી બધી ગાયો જતી રહી છે અને થોડા આપડે કાચા પડયા નહિતો બધી ગાયો જવા માટે ભેગી જ હતી. પરંતુ વાંધો નહિ થોડી વ્યવસ્થા કરવામાં આવશે. આજથી બે-અઢી-ત્રણ વર્ષ પહેલા અહિંયા ભાજપની નગરપાલિકા હતી. ત્યારે અમે પોતે ગાયો પકડવા માટે નિકળતા હતા.
ત્યારે અમારા પર ફરિયાદ પણ થઈ હતી. ફરીથી હવે અમે નક્કી કર્યુ છે કે અમે કાલે કલેક્ટરને રજૂઆત કરીશું. માલધારીઓની 2-4 દિવસોમાં મિટિંગ રાખવામાં આવશે. તેમને સૂચના આપવામાં આવશે કે તમે તમારી ગાયો રાખો છો તો રસ્તા પર ના છોડો. જો એ લોકો નહિ માને તો કોર્પોરેટરની સાથે હું પણ દંડો લઈને નિકળીશ. આપણે જાતે ગાયો પકડીને તેમની વ્યવસ્થા કરીશ. આમ કિરીટ પટેલનું નિવેદન હતું.