ગીર સોમનાથના ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે.ઉનામાં આવેલી સરકારી CSC હોસ્પિટલમાં ડોક્ટરોની અછત હોવાના કારણે તેઓ ઉપવાસ પર ઉતર્યા છે.મહત્વનુ છે કે 20 દિવસ પહેલા પૂજાભાઈ વંશ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા.
ત્યારે ડોક્ટરોની અછત હોવાના કારણે દર્દીઓ હેરાન જોવા મળ્યા હતા.ત્યાર બાદ ધારાસભ્ય દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુ.આ આવેદન પત્રમાં પૂંજાભાઈ વંશે ડેપ્યુટી કલેક્ટરને 15 દિવસમાં હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની નિમણૂંક કરવા માટે રજૂઆત કરી હતી.ત્યારે હવે તેમની માંગ ન સ્વીકારવામાં આવતા પૂંજાભાઈ વંશ સહિત 11 લોકો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે.