આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા પાટીદારોને અનામત આપવા માટે કપિલ સિબ્બલ અને પાસના કાર્યકરોની બેઠક યોજવામાં આવી હતી.
આ મામલે રેશમા પટેલે નિવેદન આપ્યુ છે કે કોંગ્રેસ વોટ બેંક મજબૂત કરવા માટે પ્રયત્નો કરે છે. બંધારણ પ્રમાણે કોંગ્રેસ પાટીદારોને ગુમરાહ કરી રહી છે.
કોંગ્રેસ પાટીદારોને બંધારણમાં યોગ્ય નથી તે વાત કરીને નાટકીય રૂપ આપી રહી છે. ત્યાર બાદ ભાજપ પ્રત્યે કહ્યું કે ભાજપે બંધારણની જોગવાઈ પ્રમાણે પાટીદાર સમાજને મદદ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોડી રાત્રે પાસ કન્વીનરો અને કોંગ્રેસ વચ્ચે અનામતના નિરાકરણને લઈ બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વકિલ કપિલ સિબ્બલ પણ હાજર રહ્યા હતા. જેમણે પાટીદારોને બંધારણ પ્રમાણે કેવી રીતે અનામત આપી શકાય તે મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે રેશ્મા પટેલ હાલમાં જ બીજેપી સાથે જોડાયાછે. તે પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતીના સભ્ય હતા.