નવી દિલ્હી: કોંગ્રેસને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસના મોટા નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એમને પોતાનું રાજીનામું પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધું છે. તાજાતરમાં જ રાણેએ મુંબઇમાં થનારી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રેલીમાં ભાગ લીધો નહતો.
જણાવી દઇએ કે નારાયણ રાણે 2005માં પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે શિવસેના છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસની પ્રદેશાધ્યક્ષ રહેલી પ્રભા રાવએ એમને જલ્દી મુખ્યમંત્રી બનાવવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસમાં રાણેની આ મહત્વકાંક્ષા ક્યારેય પૂરી થઇ શકી નહીં. એટલે સુધી કે એમને સંગઠનમાં પણ કોઇ મહત્વની જવાબદારી આપવામાં આવી નહીં.
નારાયણ રાણે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી છે અને રાજ્યના કોંકણ વિસ્તારમાં એમની સારી પકડ છે. એ છેલ્લા ઘણા મહિવાથી પાર્ટીમાં પોતાને ઉપેક્ષિત મહેસૂસ કરી રહ્યા હતા.