ગાંધીનગર: આજે રાજ્યની નગરપાલિકાના ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે ભાજપ પર પ્રહાર કર્યા છે.
ઠુમ્મરે પ્રહાર કરતા કહ્યુ છે કે ભાજપ પોતાની ગરીમા જાળવી શકતી નથી. ત્યાર બાદ મગફળીની ખરીદી પર કહ્યુ કે સરકાર દ્વારા 8 ક્વિંટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે પરંતુ સરકારે 2 લાખ ક્વિંટલ મગફળીની જગ્યાએ રેતીની ખરીદી કરી છે.
ત્યાર બાદ રાજ્પાલ ઓ.પી કોહલી પર પ્રહાર કરતા કહ્યુ છે કે રાજ્યપાલ અંગ્રેજી ભાષા સિવાય વકતવ્ય આપી શકતા નથી.. જેના કારણે કોંગ્રેસ દ્વારા નાયબ સ્પીકરને માગણી કરવામાં આવી હતી.