ભુજઃ સસ્તા અનાજની દુકાનોમાં BPL કાર્ડના નામે ચાલતી ગેરરીતિ અને કૌભાંડ સામે આવ્યું છે. ભુજમાં ચાલતા બીપીએલ અને અનાજ કૌભાંડ અંગે કોંગ્રેસના નેતા આદમ ચાકી પત્રકાર પરિષદ બોલાવી બોગસ બીપીએલ યાદી મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડ મામલે કલેકટર આવેદન પત્ર પાઠવી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં સમગ્ર મામલે યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. બીપીએલ બોગસ કાર્ડ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો સરકારી સસ્તા અનાજનું કોભાંડ બહાર આવે તેવી શક્યતા છે.
આ કોભાંડ ભાજપના સાથે જોડાયેલા લોકો આચરી રહ્યા હોવાનો કોંગ્રેસના નેતા આદમ ચાકી આક્ષેપ કર્યો છે. પીયુષ રશીકલાલ ઠક્કર સસ્તા અનાજની દુકાનમાં ૨૭૦ બીપીએલ કાર્ડ અને મનીષ જયંતિલાલ ઠક્કર સસ્તા અનાજની દુકાનમાં ૧૧૩ બીપીએલ કાર્ડ તેમજ જલારામ ગ્રાહક ભંડારમાં 150 જેટલા બીપીએલ કાર્ડ બોગસ બનાવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ત્રણે સસ્તા અનાજ દુકાનના માલિક ભાજપ સાથે જોડાયેલા છે. કોંગ્રેસના નેતા આદમ ચાકી દ્વારા કલેક્ટરને અપાયેલ આવેદનપત્રમાં 533 જેટલા બોગસ બીપીએલ કાર્ડ નામોની યાદી પણ આપવામાં આવી છે. આ તમામ લોકો બીપીએલ યાદીમાં નહીં આવતા હોવા છતાં પણ બીપીએલ યાદીમાં નામ ધરાવે છે.
તેઓ ભલે સરકારી સસ્તું અનાજ ખરીદી કરતા નહીં હોય પરંતુ તેમના હિસ્સાનો આવતો માલ આવા કૌભાંડીઓ બારોબાર વેંચીને કરોડોનું કૌભાંડ કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પુર્વ જનરલ સેક્રેટરી આદમભાઈ ચાકી પત્રકાર પરિષદ સંબોધીને આ કૌભાંડ અંગે ખુલાસાઓ કર્યા હતા. સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે.